સંબંધિત સમાચાર
- પૂ.મહંત સ્વામીએ હાથ પકડયો છે,હવે મારે કોઈ ચિંતા નથી - નરેન્દ્ર મોદી
- રાહુલ ગાંધીનું એંગ્રી યંગમેન લુક... જુઓ કેવી રીતે દાવપેચથી વિરોધીને પટક્યો
- કોંગ્રેસ પાવર ઓફ પાટીદાર ફિલ્મને ખરીદીને સોશિયલ મીડિયામાં વાયરલ કરશે
- સુરતમાં ભાજપના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ વાઈરલ થતાં ખળભળાટ
- મોદી પણ રાહુલની જેમ ગુજરાતમાં રેલીઓ કરશે. ભાજપ માટે સોશિયલ મીડિયા માથાનો દુઃખાવો સાબિત થશે
અક્ષરધામમાં ગયેલા પીએમ મોદીની સોશિયલ મીડિયામાં ટીકાઓ
ગાંધીનગર ખાતે બનાવામાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના રપ વર્ષ પુર્ણ થતાં હોવાથી ઉજવવામાં આવતાં રજતજયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ મંદિરમાં પ્રવચન પણ આપ્યું હતું. હવે મોદીની આ મુલાકાત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે કે મત મેળવવા સ્વામીના હાથ પગ પકડવા મોદી ગયા પણ સિવિલ હોસ્પિટલમાં 24 બાળકોના મોત થયા પછી તેના કુટુંબીજનોને બે હાથ જોડવા સમય ન મળ્યો. બીજી તરફ એવા પણ સવાલો થઈ રહ્યાં છે કે આ કાર્યક્રમમાં બીએપીએસ દ્વારા બીજા કોઈ પક્ષના નેતાને કેમ આમંત્રણ આપવામાં ના આવ્યું?

