સંબંધિત સમાચાર
- Dhanteras 2024: ધનતેરસના દિવસે વાસણો ખરીદવાથી ધનદોલત અનેકગણી વધશે, જાણો આ દિવસે શું ન ખરીદવું જોઈએ ?
- Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા
- Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.
- Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ
- Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર
Dhanteras 2024: ધનતેરસ પર તમારી રાશિ મુજબ કરો ખરીદી, દેવી લક્ષ્મીનો મળશે આશિર્વાદ
Dhanteras 2024 - દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવાની પરંપરા છે. આ દિવસને ભગવાન ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધન્વંતરીજી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી અને ધન્વંતરી ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસના દિવસે ધન્વંતરી જી ઉપરાંત ભગવાન કુબેર દેવ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિનો પરિવાર સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર, 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
મેષઃ- મેષ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીના વાસણો ખરીદવા જોઈએ.
વૃષભ: વૃષભ રાશિના લોકોએ ધનતેરસના દિવસે સાદા કપડા કે ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે ધનતેરસના દિવસે પિત્તળનાં વાસણ ખરીદવું શુભ રહેશે.
કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો અથવા સફેદ વસ્તુ ખરીદવી જોઈએ. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
સિંહઃ સિંહ રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે વાહન અથવા ઘરેણાંની ખરીદી કરવી જોઈએ, જે તેમના માટે ખૂબ જ શુભ રહેશે.
કન્યા: જો કન્યા રાશિના લોકો ફ્લેટ, ઘરેણાં, જમીન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે.
તુલાઃ જો તુલા રાશિના લોકો ધનતેરસના દિવસે સાવરણી ખરીદે તો તે ખૂબ જ શુભ રહેશે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. ,
વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસના દિવસે ધાણા અવશ્ય ખરીદવું. ધાણાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેનાથી આખું વર્ષ ઘરમાં ધન-સંપત્તિ જળવાઈ રહે છે.
ધનુ: ધનતેરસના દિવસે ધનુ રાશિના લોકોએ ગણેશ લક્ષ્મી અથવા શ્રી યંત્રની મૂર્તિ ખરીદવી જોઈએ. તેનાથી આર્થિક પ્રગતિ થાય છે.
મકર: ધનતેરસના દિવસે પીળી વસ્તુઓ અથવા પીળા વસ્ત્રોની ખરીદી મકર રાશિના લોકો માટે શુભ રહેશે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
કુંભ: કુંભ રાશિના લોકો ધનતેરસના દિવસે ગણેશ લક્ષ્મીની મૂર્તિ અથવા સફેદ વસ્તુ ખરીદી શકે છે. આ ઉપરાંત ગણેશ લક્ષ્મીની મૂર્તિ સાથે ચાંદીનો સિક્કો પણ શુભ રહેશે.
મીન: ધનતેરસના દિવસે સોનું ખરીદવું મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. જો તમે આ દિવસે સોનું ખરીદી શકતા નથી, તો તમારે પિત્તળનું વાસણ અવશ્ય ખરીદવું જોઈએ.
