રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238928{main}( ).../bootstrap.php:0
20.21896088448Zend_Application->run( ).../bootstrap.php:62
30.21896088584Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.21896089664Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.26216401336Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.26826733552Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.26836749328Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.07977286056partial ( ).../ManagerController.php:848
91.07977286496Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.08007291360call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.08007292104Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.08047305848Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.08047322848Zend_View->_run( ).../Abstract.php:888
141.08057324776include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 31 માર્ચ 2020 (09:31 IST)

Corona live update (31 March) - એક દિવસમાં કોરોના વાયરસના મહત્તમ 227 કેસ, આગામી 15 દિવસ મહત્વપૂર્ણ

ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. લોકડાઉન હોવા છતાં, સોમવારે 227 નવા કેસના ઉમેરો થતા ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાયરસના ચેપને કારણે અત્યાર સુધી 32 લોકોનાં મોત નીપજ્યાં છે. સાથે જ સંક્રમિત લોકોની સંખ્યા 1200 થઈ ગઈ છે.
 
ભારત માટે આગામી 15 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1200 કેસ ઓળંગી જતા ભારત તે તબક્કે પહોંચી ગયું છે જ્યાં 29 ફેબ્રુઆરીએ ઇટાલી, 9 માર્ચે સ્પેન અને 11 માર્ચે અમેરિકા હતું. આ ત્રણ દેશોમાં, આગામી 15 દિવસમાં, કોરોના ચેપના કેસોની સંખ્યા 25 ગણાથી વધીને 68 ગણા થઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજી લોકડાઉનની જાહેરાત કરી નથી.
 
વિકસિત દેશો કરતા ભારતમાં સંક્રમણની ગતિ ઓછી
 
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના ઇન્ફેક્શનનો દર વિકસિત દેશોની તુલનામાં ઓછો હોવાની જાણકારી આપતા જણાવ્યુ કે ભારતમાં વાયરસનો ચેપનો બીજો રાઉન્ડ જ ચાલી રહ્યો છે, આ હજુ સામુહિક સમુદાયના ત્રીજા તબક્કા સુધી પહોંચ્યો નથી. સોમવારે પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 100 થી 1000 સુધી પહોંચવામાં 12 દિવસનો સમય લાગ્યો છે, જ્યારે કે આ સમસ્યા સામે ઝઝૂમી રહેલા વિકસિત દેશોમાં આ સમયગાળામાં દર્દીઓની સંખ્યા 3,500 થી 8,000 હતી. .
 
અગ્રવાલે કહ્યું કે ચેપ અટકાવવા જાહેર કરાયેલા લોકડાઉનની અસરના વિશ્લેષણના આધારે ભારતમાં ચેપની ગતિ વિકસિત દેશો કરતા ઓછા છે. તેમણે કહ્યું કે ભારતમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો સંબંધિત ડેટાના વિશ્લેષણ બતાવે છે કે દેશમાં 100 થી 1000 સુધી પહોંચવામાં સંક્રમિત કેસોમાં 12 દિવસનો સમય લાગ્યો. જ્યારે વિકસિત દેશોમાં આ સમયગાળામાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3,500 થી 8,000 સુધી પહોચી ગઈ, તે સ્પષ્ટ કરે છે કે ભારતમાં ચેપનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું છે.
 
દિલ્હી-નોઈડામાં 31 નવા કેસ
 
સોમવારે દિલ્હી-નોઈડામાં 31 નવા કેસ નોંધાયા છે. પાટનગરમાં, જ્યાં એક જ દિવસમાં મહત્તમ 25 ચેપ લાગ્યો છે. તે જ સમયે, નોઈડામાં બે બાળકો સહિત છ લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. તેમાં ત્રણના પાંચ પરિવારના સભ્યો છે.
 
લોકડાઉનનો સમય વધારાશે એ માત્ર અફવા
 
લોકડાઉનનો સમયગાળો વધારવા માટે સોશિયલ મીડિયા પર અપાયેલા સંદેશ માત્ર અફવાઓ છે. સોમવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ પૂર્વનિર્ધારિત યોજના નથી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યું કે રોગચાળો ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કામ કરી રહી છે.
ગૌબાએ સોમવારે કહ્યું કે, આવા સમાચારથી હુ ખુદ હેરાન છુ, લોકડાઉન વધારવાની સરકારની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે સરકાર લોકડાઉન દરમિયાન 
લોકો સુધી જરૂરી માલ પહોંચાડવા માટે દરેક પ્રયાસ કરી રહી  છે. દેશના કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 
21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ સમયગાળો 14 એપ્રિલના રોજ પૂર્ણ થશે.