યે જવાની હૈ દીવાનીની સિક્વલ કન્ફર્મ! રણબીર કપૂરે જણાવ્યું કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે
Publish: Mon, 8 May 2023 (07:42 IST)
Updated: Mon, 8 May 2023 (07:47 IST)
Yeh Jawaani Hai Deewani Sequel : રણબીર કપૂર (Ranbir Kapoor) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. હવે તેની સિક્વલ સંબંધિત અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અયાન મુખર્જી ટૂંક સમયમાં ફિલ્મની સિક્વલ પર કામ શરૂ કરશે.
અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' આજે પણ લોકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની કારકિર્દીની હિટ ફિલ્મોમાંની એક હતી. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની આસપાસ ફરે છે, જેમાંથી બન્ની અને નૈના એક મસ્તીથી ભરપૂર પ્રવાસની વચ્ચે પ્રેમમાં પડે છે. ફિલ્મમાં રણબીર કપૂરે બાની અને દીપિકા પાદુકોણે નૈનાની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મની સિક્વલને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. આ અંગે રણબીરે પોતે એક હિંટ આપી છે.
Publish: Mon, 8 May 2023 (07:42 IST)
Updated: Mon, 8 May 2023 (07:47 IST)