સંબંધિત સમાચાર
- સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી
- એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ
- એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.
- IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.
- વિરાટના દાવમાં સૂતી જોવા મળી અનુષ્કા, ફેંસે કહ્યુ નાના બાળકોને સાચવવા કોઈ સહેલુ કામ નથી (Video)
Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!
Kesari 2- અક્ષય કુમાર સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર 3 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળનું સત્ય ઉજાગર કરશે અને દર્શકો સમક્ષ ઘણી અકથિત ઘટનાઓ લાવશે. આ પીરિયડ ડ્રામામાં અક્ષય કુમાર સાથે આર. માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
આ ફિલ્મ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે
3 મિનિટ 2 સેકન્ડનું શક્તિશાળી ટ્રેલર બતાવે છે કે કેવી રીતે બ્રિટિશ જનરલ ડાયરે ઊંડા કાવતરાના ભાગરૂપે જલિયાવાલા બાગ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર પ્રખ્યાત વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે.
આ ફિલ્મ 18 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' 18મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને લઈને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ચાહકો હવે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ ઐતિહાસિક ઘટનાના અસંખ્ય પાસાઓને મોટા પડદા પર જોઈ શકે.