સંબંધિત સમાચાર
- Wedding venue- પરિણીતી-રાઘવે નક્કી કર્યું લગ્ન સ્થળ, સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લગ્નની તારીખ નક્કી
- પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કરી સગાઈ, ફેન્સ સાથે શેર કરી સુંદર તસવીરો
- Parineeti Chopra Raghav Chadha- પરિણીતિની સગાઈની તારીખ નક્કી, આ તારીખે કરશે સગાઈ
- Parineeti Chopra Marriage - પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કરી સગાઈ, જાણો ક્યારે કરશે લગ્ન?
- Raghav-Parineeti ની રિંગ સેરેમની તૈયારીઓ શરૂ, કપલની સગાઈની તારીખ પણ સામે આવી!
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરમાં થશે .રિસેપ્શન ચંડીગઢમાં
Raghav And Parineeti Wedding- પરિણિતી ચોપરા તથા રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂની જાણકારી સામે આવી છે. ૨૩-૨૪ સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં લગ્ન કરશે. ચંડીગઢમાં રિસેપ્શન યોજાવાનું છે.
મંગળવારે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ મહિનાની 24 તારીખે તળાવોના શહેરમાં, ઉદયપુરમાં લગ્ન કરવાના છે.
આ કપલના લગ્નના ફંકશન 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24મીએ સમાપ્ત થશે. તે જ સમયે, કપલનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.ઉદયપુરનાં પ્રસિદ્ધ પિછોલા લેકના કાંઠા પર પાસપાસે આવેલી બે વૈભવી હોટલ બૂક કરી લેવામાં આવી છે.
લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજરી આપવાના છે. તેમાં રાજકીય નેતાઓ તથા બોલીવૂડ સેલિબ્રિટી સહિત ૫૦થી વધુ વીવીઆઈપી સામેલ થશે.
