સોમવાર, 16 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ
રાત્રે મોડા સુધી સૂવાથી કે પૂરતી ઊંઘ ન લેવાથી વજન ઘટાડવામાં મુશ્કેલી પડી શકે છે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે.
Bodh varta- ઘમંડી ઉંદર
બંટી ઉંદર ખૂબ જ હોંશિયાર હતો. તે જંગલમાં રહેતો હતો. તેણે પોતાના માટે એક નાનું ઘર બનાવ્યું હતું. જંગલની નજીક એક ઘર હતું જ્યાં એક નાનો છોકરો રહેતો હતો.
Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ
Maha Shivaratri food Recipes સાબુદાણા ખીચડી ઉપવાસ બટાકા
Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર
Health Tips: જો તમે તમારા કેલોસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે તમારા ડાયેટમાં આ ફેરફારોને સામેલ કરવા જોઈએ. ચાલો જાણીએ વિસ્તાર પૂર્વક
વીડિયો
Watch More Videos
નવીનતમ
માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી
સુકેશ ચંદ્રશેખરે વેલેન્ટાઇન ડે પર જેલમાંથી જેકલીન ફર્નાન્ડીઝને એક ભાવનાત્મક પ્રેમ પત્ર લખ્યો હતો, જેમાં તેણીને એરબસ એચ-સિરીઝ હેલિકોપ્ટર ભેટમાં આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રેમ પત્રમાં પ્રેમના ઊંચા વચનો અને દાવાઓ છે.
'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
1987ની લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી "રામાયણ" ના સહ-નિર્માતા આનંદ રામાનંદ સાગરનું 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈમાં અવસાન થયું. તેઓ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરના પુત્ર હતા.
તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે
ફેબ્રુઆરી મહિનો પ્રેમના મહિના તરીકે ઓળખાય છે. વેલેન્ટાઇન વીક મહિનાની શરૂઆતમાં આવે છે, જે સમગ્ર વાતાવરણમાં પ્રેમના સુંદર રંગો ફેલાવે છે.
ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.
પપ્પા ઠપકો આપતા- રાજુએ તને ફૂલ તોડવાનું કહ્યું અને
Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
Nageshwar Jyotirlinga Mandir- નાગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ મંદિર છે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં દસમું સ્થાન છે.
ધર્મ
Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો
Holashtak 2026: હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસો દરમિયાન કરવામાં આવેલા કાર્યોના શુભ પરિણામ નહિ આવે.
ફાગણ ફોરમતો આયો lyrics
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…
આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.
Falgun Amavasya 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, દરેક મહિનામાં અમાવસ્યા (નવો ચંદ્ર) હોય છે. આ અમાવસ્યા (નવો ચંદ્ર) દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ફાલ્ગુન મહિનાનો અમાવસ્યા ફેબ્રુઆરીમાં આવશે. ફાલ્ગુન અમાવસ્યાની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે.
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પુજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી.
Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો
આજે, 15 ફેબ્રુઆરી, દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ તહેવાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ તિથિએ થયા હતા. આ કારણોસર, આ દિવસે ખાસ પ્રાર્થના, ઉપવાસ અને રાત્રિ જાગરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.