webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
  4. akha teej fast and 10 importance

કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...

akshaya tritiya
અક્ષય તૃતીયા- અખાત્રીજ અબૂઝ મૂહૂર્ત ગણાયું છે. આ પર્વ વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવાય છે. આ દિવસે કરેલ જપ,તપ, જ્ઞાન અમે દામ અક્ષય ફળ આપતું હોય છે તેથી તેને "અક્ષય તૃતીયા" કહે છે.
આ દિવસે સતયુગનો આરંભ હોય છે. તેથી તેને યુગાદિ તૃતીયા પણ કહે છે. જો આ વ્રત સોમવાર કે રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક ગણાય છે. 
 
જો તૃતીયા મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય છે. તેનો શ્રેષ્ઠ ફળ મળે છે. આ વ્રત દાન પ્રધાન છે. આ દિવસે અધિકાધિક દાન આપવાનો મોટું મહાત્મય છે. 

Akshay Tritiya - ધન પ્રાપ્તિ માટે ઉપાય

 
આવી રીતે કરવું અક્ષય તૃતીય વ્રત 
* વ્રતના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું. 
 
* ઘરની સફાઈ અને દરરોજના કર્મથી નિવૃત થઈ પવિત્ર અને શુદ્ધ જળથી સ્નાન કરવું. 
 
* ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું. 
 
નિમ્ન મંત્રથી સંકલ્પ કરવું- 
 
મમાખિલપાપક્ષયપૂર્વક સકલ શુભ ફળ પ્રાપ્ત્યે 
ભગવત્પ્રીતિકામનયા દેવત્રયપૂજનમહં કરિષ્યે  

Akshay Tritiya 2018: અક્ષય તૃતીયાના દિવસે કરો આ વસ્તુઓનો દાન, આ છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

 
* સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવું. 
 
* ષોડ્શોપચાર વિધિથી ભગવાન વિષ્ણુનો પૂજન કરવું. 
 
* ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પમાળા પહેરાવો. 
* નૈવેદ્યમાં જવ ઘઉંનો સત્તૂ, કાકડી અને ચણાની દાળ અર્પણ કરવું. 
 
* જો હોઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવું. 
 
* અંતનાં તુલસી જળ ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી.