Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ સુહાગરાતે ભારતીય વરવધુ શુ કરે છે ?

મંગળવાર, 18 જુલાઈ 2017 (09:47 IST)
લગ્ન પહેલા દરેક યુવક યુવતી  પોતાની પ્રથમ સુહાગ રાત વિશે ઘણુ બધુ વિચારે છે. તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે.  પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર વિતાવશો.  જો તમારા લોકોના મનમાં આવા જ વિચાર આવે છે તો અમે તમને બતાવી દઈએ  કે એ જરૂરી નથી કે બધાની સુહાગરાત આ જ રીતે પસાર થાય.  એ લોકો જે હજુ લગ્નથી ખૂબ દૂર છે તેમના મનમાં સુહાગરાત વિશે અનેક વિચાર આવે ક હ્હે. આજે અમે તમારી આતુરતાનો અંત લાવી રહ્યા છે. કારણ કે અમે તમને બતાવી રહ્યા છેકે ભારતીય લગ્નમાં વર-વધુ પોતાની પ્રથમ રાત્રે શુ કરે છે. 

1. થાકને કારણે તેઓ સૂઈ જાય છે. આપણા ભારતીય સમાજમાં લગ્ન ખૂબ વિધિ વિધાનથી થાય છે અને આ બધુ મોટાભાગે વર-વધૂ જ કરે છે. જેને કરતા કરતા તેઓ એટલા થાકી જાય છે કે પોતાના રૂમમાં પહોંચતા જ સૂવાની તૈયારી કરે છે. 

2. લગ્નના કપડા અને સામાનથી મુક્તિ મેળવવી - લગ્નના કપડા ખૂબ જ ભારે હોય છે પછી ભલે એ વરની શેરવાની હોય કે વધુ નો લહેંગો. આ બંને આ કપડા ખૂબ મોડે સુધી પહેરી રાખે છે. તેથી તેઓ જેવા પોતાના રૂમમાં પહોંચે છે કે કે બધુ જ ઉતારવામાં લાગી જાય છે. યુવક માટે તો સહેલુ છે પણ યુવતી માટે ફક્ત પોતાના ઘરેણા કે લહેંગો જ નહી પણ હેરસ્ટાઈલ, તેમા લાગેલી પિનો.. બિડસ ઉપરાંત મેકઅપ બધુ ઉતારવાનું હોય છે. 

3. મિત્રો અને સંબંધીઓની મજાક મસ્તીનો સામનો કરવો - દરેક વર વધૂને મિત્રો અને કઝીંસના કેટલાક અણગમતા મઝાક સહન કરવા પડે છે. જેવો કે અડધી રાત્રે ફોન કરવો.. ઘડિયાળનો અલાર્મ વગાડવો.. અને દરવાજો ખખડાવવો. આ બધુ આખી રાત ચાલતુ રહે છે. 
4. દિલ ખોલીને વાત કરવી - જેમ જેમ લગ્નનો દિવસ નિકટ આવે છે બંને યુવક અને યુવતી પોત પોતાની તૈયારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો. તેથી એ જોવામાં આવ્યુ છે કે લગ્નની પ્રથમ રાત્રે બંને એકબીજા સાથે દિલ ખોલીને વાતો કરે છે. 
5. સાથે ન્હાવુ - આ કામ મોટાભાગના નવ વરવધૂ લગ્નની પ્રથમ રાત્રે કરે છે. તેનાથી તેમનો થાક દૂર થાય છે સાથે જ એકબીજાની નિકટ આવવાની તક મળે છે. 
6. દુલ્હનની ભેટ ખોલવી - થોડી આશ્વર્યની વાત તો છે પણ આ સત્ય છે કે દુલ્હન પોતાના પતિ માટે ઘણી બધી ભેટ સોગાદો લાવે છે અને તેને બતાડવા માટે તે બંને લગ્નની પ્રથમ રાત્રે જ બધા જ ગિફ્ટ્સ ખોલીને જુએ છે. 
7. હનીમૂનની તૈયારી કરે છે - જો લગ્નના બીજા જ દિવસે હનીમૂન પર જવાનુ છે તો તેઓ એ માટે પેકિંગ કરવામાં આખી રાત વિતાવી નાખે છે. 
 
8. લગ્નની ભેટ ખોલવી - લગ્નની પ્રથમ રાત્રે મેહમાનોએ આપેલ ગિફ્ટ્સ ખોલીને જોવા. આ સાંભળવામાં થોડુ રોમાંચક લાગે છે પણ જ્યારે તેઓ ગિફ્ટ્સ ખોલે છે તો બધા એક્સાઈટમેંટ ખતમ થઈ જાય છે. જ્યારથી ઘરેલુ ઉપકરણો, વાસણો અને લૈપ જેવા ગિફ્ટ્સને જુએ છે. 
 
 
9. લગ્ન વિશે વાતો કરે છે. આટલો લાંબો સમય વિતાવ્યા પછી લગ્નની પ્રથમ રાત્રે બંને એકલા એકસાથે હોય છે. અને લગ્ન દરમિયાન વિતાવેલા સારી ક્ષણોને યાદ કરે છે. એકબીજાના નિકટ આવવાને બદલે એ ક્ષણો વિશે વાતો કરે છે. 
 
10. સેક્સ વિશે વિચારવુ - જો વર વધૂ લગ્નની પ્રથમ રાત્રે કંઈક અણગમતા કારણોસર એકબીજાની નિકટ ન આવી શકે તો તેઓ આરામથી શરમાતાં શરમાતાં સૂઈ જાય છે.. પોતાની આવનારી સવારની રાહ જોવામા... 

વધુ જુઓ..

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

ગુજરાતમાં શિક્ષકોની 3,966 જગ્યાઓ પર બમ્પર ભરતી: 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે, જાણો છેલ્લી તારીખ

Jaipur Anu Meena Suicide Case: નોકરાણી સાથે રોમાન્સ કરતા પકડાયા, રહસ્ય ખુલતાં પત્નીને માર માર્યો... જયપુરના અનુ મીના આત્મહત્યા કેસમાં પીડબ્લ્યુડી અધિકારીની કાર્યવાહી

વધુ જુઓ..

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

આગળનો લેખ