Dharma Sangrah

સાવરકૂંડલાનો બનાવ, એક સિંહ અને 10 નિલગાયોને મારીને કૂવામાં નાંખી દીધા

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (12:47 IST)
સાવરકૂંડલાના લીખાળા ગામમાં એક ચકચાર મચાવનાર બનાવ વનવિભાગના ધ્યાનમાં આવતા વનકર્મીઓ દોડતાં થઈ ગયાં છે. વનવિભાગની પ્રાથમિક તપાસમાં એક સિંહ અને 10 નીલગાયને મારી નાંખી આ કૂવામાં કોઇ ફેંકી ગયાનું ખુલતા જીવદયાપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે વન વિભાગનો કાફલો પહોંચી ગયો છે અને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. લીખાળા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાં 30 ફૂટ જેટલું પાણી ભરેલું છે. એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો આ કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આજે પોલીસ અને વન વિભાગ સફાળુ જાગ્યું છે અને કાફલા સાથે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે ધારી ગીરના ઇન્ચાર્જ ડીએફઓ સકીરા બેગમે જણાવ્યું છે કે, આખી ઘટના શંકાસ્પદ છે અમારી ટીમો તપાસ કરી રહી છે, અલગ અલગ દિશામાં સાંજ સુધીમાં ઘટના ક્લિયર થઈ જશે.

વધુ જુઓ..

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો? કાન કેવી રીતે સાફ કરવા તે શીખો.

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ચા બનાવો

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

આગળનો લેખ
Show comments