Festival Posters

વીનેશ ફોગાટના ઑલિમ્પિકમાંથી બહાર થવા પર શું બોલ્યા અમિત શાહ અને સાક્ષી મલિક

બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:36 IST)
પેરિસ ઑલિમ્પિકના ફાઇનલ મુકાબલામાંથી બહાર થવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે.
 
અમિત શાહે ટ્વીટ કર્યું, “ઑલિમ્પિકમાં વીનેશ ફોગાટના બહાર જવાથી નિશ્ચિતરૂપે લાખો ભારતીયોની આશા તૂટી છે.”
 
અમિત શાહે વધુમાં લખ્યું, “તેમની રમત શાનદાર રહી છે. જેમાં તેમણે વિશ્વ ચૅમ્પિયનને હરાવવાનું ગૌરવ મેળવ્યું છે. આ દુર્ભાગ્ય એક અપવાદ છે. મને આશા છે કે તેઓ ફરીથી જીત હાંસલ કરશે અને હંમેશાની માફક વિજેતા બનશે.”
 
 
વીનેશ ફોગાટના અયોગ્ય જાહેર થવા પર શું બોલ્યાં સાક્ષી મલિક
વીનેશ ફોગાટના પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી ઇવેન્ટમાં અયોગ્ય જાહેર થવા મામલે પ્રતિક્રિયાઓ આવવાની ચાલુ જ છે.
 
વીનેશ ફોગાટના બહાર જવા પર સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું, “મારું હ્રદય ગભરાયેલું છે અને પરેશાન છે.”
 
તેમણે કહ્યું કે વીનેશ માટે જે થયું છે તે કલ્પનાથી બહાર છે. આ કદાચ ઑલિમ્પિકમાં કોઈ પણ ભારતીય ખેલાડી સાથે થયેલી સૌથી વિનાશકારી ઘટના છે.
 
તેમણે વધુમાં કહ્યું, “આપણે વિચારી પણ ન શકીએ કે તેઓ કયા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. જો સંભવ હોત તો હું મારો ચંદ્રક તેમને આપી દેત.”
 
 

વધુ જુઓ..

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

Tips To Keep Curd Fresh Longer: આ રીતે જમાવશો તો ક્યારેય ખાટુ નહિ થાય દહી, જાણી લો સહેલી Trick

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

વધુ જુઓ..

પિતા ધર્મેન્દ્રના ગયા પછી બદલાઈ ગઈ દેઓલ ફેમિલીની કેમિસ્ટ્રી, બોબી દેઓલે ઈશાન-આહન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

આગળનો લેખ
Show comments