Festival Posters

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

સોમવાર, 18 નવેમ્બર 2024 (17:42 IST)
ropeway
શ્રી માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડે યાત્રાને વધુ સુગમ બનાવવા માટે બહુચર્ચિત રોપવે પ્રોજેક્ટની શરૂઆત કરી છે.  આ પરિયોજના તારાકોટથી સાંઝીછત સુધી સંચાલિત થશે અને 14 કિમીના પગપાળા માર્ગને માત્ર 6 મિનિટમાં પૂરો કરી શકાશે. આ પ્રોજેક્ટથી વિશેષ રૂપથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને લાભ થશે. જે વર્તમાનમાં મુશ્કેલ પદયાત્રાને કારણે માતાના દરબાર સુધી પહોચી શકતા નથી.  આ રોપવે સમય બચાવશે સાથે જ મુસાફરોનો થાક પણ ઓછો કરશે. 
 
રોપવે પ્રોજેક્ટથી યાત્રા  સરળ બનશે 
શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે રોપવે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માતા વૈષ્ણો દેવીની યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ભારત અને વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ બનાવશે. આનાથી સમય બચશે અને માત્ર 5 થી 6 મિનિટમાં તમે કટરાના બેઝ કેમ્પ તારાકોટથી સાંઝી છટ પહોંચી જશો. આ રોપ-વેમાં ગોંડોલા કેબલ કાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરકારનો આ પ્રોજેક્ટ પ્રવાસન વધારવામાં પણ મદદ કરશે.

 
શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યા દર વર્ષે લાખો શ્રદ્ધાલુ માતાના દરબારમાં હાજરી લગાવે છે. રોપવે પ્રોજેક્ટથી યાત્રામાં ક્રાંતિકારી ફેરફાર આવશે અને આ વિશેષ રોપથી એ શ્રદ્ધાળુઓ માતે વરદાન સાબિત થશે જે શારીરિક અને અન્ય કારણોથી યાત્રા કરવામાં મુશ્કેલી અનુભવે છે. 
 

વધુ જુઓ..

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

Tips To Keep Curd Fresh Longer: આ રીતે જમાવશો તો ક્યારેય ખાટુ નહિ થાય દહી, જાણી લો સહેલી Trick

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

વધુ જુઓ..

પિતા ધર્મેન્દ્રના ગયા પછી બદલાઈ ગઈ દેઓલ ફેમિલીની કેમિસ્ટ્રી, બોબી દેઓલે ઈશાન-આહન સાથેના સંબંધો પર તોડ્યુ મૌન

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

આગળનો લેખ
Show comments