Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈન્દોર પછી ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીનો કહેર, સાત દિવસમાં 67 લોકો પડ્યો બીમાર, ખુલાસાથી મચ્યો હડકંપ

શનિવાર, 3 જાન્યુઆરી 2026 (18:10 IST)
gandhinagar typhoid cases
 મઘ્યપ્રદેશના ઈન્દોર માં પ્રદૂષિત પાણીથી અત્યાર લગભગ 15 લોકોનુ મોત થઈ ચુકી છે. આ ઘટનાની ગૂંજ પૂર દેશમાં છે. આ બધાની વચ્ચેનો કહેર સામે આવ્યો છે.   આ ઘટના સામે આવ્યા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ પાણીનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના લોકો આદિવાડા એક્સટેન્શન સાથે સેક્ટર 24, 26 અને 28 ના રહેવાસી છે. છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારોમાંથી લગભગ 67 લોકો બીમાર પડ્યા છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાની તપાસમાં 10 સ્થળોએ લીકેજ પણ મળી આવ્યું છે. ઇન્દોરમાં બનેલી ઘટના બાદ ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીને કારણે લોકો બીમાર પડવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. મહાનગરપાલિકા દ્વારા પાણીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
 
હર્ષ સંઘવીએ લીધો ઉચ્ચ સ્તરીય બેઠક  
ગુજરાતની રાજધાનીમાં લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડી રહ્યા હોવાના ખુલાસા બાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હરકતમાં આવ્યા છે. શનિવારે, તેમણે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈને જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી અને અન્ય વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી પણ છે અને વડોદરાનો પણ કાર્યભાર સંભાળે છે.
<

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા
દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે ૨૨ નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત: નાયબ કલેકટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપાઈ pic.twitter.com/a0sTFhlrAd

— Info Gandhinagar GoG (@InfoGandhinagar) January 3, 2026 >
ટાઈફોઈડ હોવાનુ શુ કારણ ? 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી સંસદ સભ્ય છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે લાંબા સમયથી દૂષિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાએ પાઇપલાઇનમાં લીકેજને સુધારવાનું કામ શરૂ કર્યું છે. દૂષિત પાણી પીને બીમાર પડેલા ઘણા લોકો સ્વસ્થ થયા છે. મહાનગરપાલિકાએ એવા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે જ્યાં ટાઇફોઇડના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે ટાઇફોઇડ તાવ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયમથી થાય છે, જે દૂષિત ખોરાક, પાણી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રણવીર સિંહને કેમ કહેવામાં આવે છે બોલીવુડનુ 'એનર્જી પેકેટ', પર્સનાલીટીનુ આ સીક્રેટ જાણીને કહેશો વાતમાં છે દમ

આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત વરરાજા બનશે, ગૌરી સ્પ્રેટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ગુજરાતી જોક્સ -પતિ- પતિ-પત્નીનો સંબંધ

ગુજરાતી જોક્સ- સફેદ પેંટ સાથે પીળો શર્ટ

ગુજરાતી જોક્સ - બાપુજી હતા

આગળનો લેખ
Show comments