Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં સુખ- સમૃદ્ધિ માટે જન્માષ્ટમીથી શરૂ કરી દો આ ઉપાય

Updated: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (00:47 IST)
જન્માષ્ટમીના પર્વને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે દેશના ખુણે ખુણામાં રહેલા કૃષ્ણ ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળે છે. ત્યારે અમે તમને જણાવીશું કેટલીક એવી વસ્તુઓ વિશે જેને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે. જાણો આવી વસ્તુઓ વિશે. ભગવાન શ્રીકૃષ્ણને એકવાર યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય તે માટે શું કરવું જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે એવી કેટલીક પવિત્ર વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી તે ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. આ વસ્તુઓમાં ઘી, પાણી, મધ, ચંદન અને વાંસળીનો સમાવેશ થાય છે. જાણો તેનું કારણ...
 
ઘરમાં નિયમિત ઘીનો દીવો કરવો. 
ભગવાનને ઘીમાંથી બનેલો પ્રસાદ ધરાવવો. 
આમ તો બજારમાં અનેક પ્રકારના ઘી મળે છે પરંતુ સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગાયનું ઘી. પૂજામાં હંમેશા આ ઘીનો જ ઉપયોગ કરવો.
ઓછી કમાણીમાં પણ બચત કરવી હોય તો બાથરૂમમાં હંમેશા એક ડોલ પાણી ભરેલી રાખી મુકવી. 
ઘરમાં જ્યારે પણ મહેમાન આવે તો તેમને પાણી અવશ્ય આપવું. તેનાથી ગ્રહોની અશુભ અસર ઓછી થઈ જાય છે.
વાસ્તુનુસાર ઘરમાં જે પણ નકારાત્મક ઊર્જા હોય છે તેને મધ ખતમ કરી શકે છે. 
એટલા માટે જ ઘરમાં મધ અવશ્ય રાખવું. મધને મંદિરમાં અથવા કોઈપણ ચોખ્ખા સ્થાન પર રાખી દેવું તેનાથી વધારાના ખર્ચમાં ઘટાડો થશે.

વધુ જુઓ..

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

શ્રાવણ સ્પેશિયલ: શ્રાવણમાં ડુંગળી અને લસણ વગર બનાવેલી 5 ઝડપી સ્વાદિષ્ટ વાનગીઓ

Divaso દીવાસો એટલે સો દિવસનો તહેવાર

શ્રાવણ ઉપવાસ માટે ઠંડુ-ઠંડુ ફ્રૂટ યોગર્ટ

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

Evrat Jivrat Ni Vrat Katha - ક્યારે છે એવરત જીવરત વ્રત 2026 ?વાંચો એવરત જીવરત વ્રત ક થા

Divaso 2026- દિવાસાનું ધાર્મિક મહત્વ

Divaso - દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત, જાણો દિવાસાનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 ઓગસ્ટ, 2026

Kamika Ekadashi Vrat Katha - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments