Festival Posters

દિવાળી માટે ઘરના પડદા ખરીદતા પહેલા વાસ્તુ મુજબ આટલી વાતોનુ રાખો ધ્યાન

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (01:33 IST)
દિવાળી એક એવો તહેવાર છે જેના માટે ઘરમાં દરેકનુ મન ખૂબ જ ઉત્સાહી હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક કોઈ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. દિવાળીમાં આપણે ઘરની સજાવટ માટે બેડશીટ અને પડદા દર વર્ષે નવા ખરીદીએ છીએ, આ વખતે પડદાં ખરીદતા પહેલા થોડુ વાસ્તુ મુજબના રંગોનુ પણ ધ્યાન રાખશો તો તમારુ ઘર ખુશીઓથી મહેકી ઉઠશે 
 
વિવિધ રંગના પડદા આપણા ઘરને તો સુંદર બનાવે જ છે, સાથે જ ઘરમાં પૉજિટિવ એનર્જી પણ બનાવવામાં મદદ કરે છે. ત્યારે આવો જાણીએ, વાસ્તુના હિસાબે કઇ દિશામાં કયા રંગના પડદા વધુ ફાયદો કરાવતા હોય છે.
 
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામા આવ્યું છે કે જો કોઇના પરિવારમાં ઝઘડા વધુ થતા હોય કે પછી ઘરના લોકોને એકબીજા સાથે બનતું ન હોય તો દક્ષિણ દિશામાં લાલ કલરના પડદા લગાવવાથી શુભ ફળ મળે છે. આનાથી ઘરના સદસ્યોનો અંદરોઅંદર પ્રેમ વધે છે.
 
વારંવાર મહેનત કર્યા બાદ પણ સફળતા ન મળતી હોય તો આના માટે વાસ્તુ શાસ્ત્રમાં યુક્તિ આપવામાં આવી છે. આવી બાબતોમાં વાસ્તુ શાસ્ત્ર ઘરની પશ્ચિમી દિવાલમાં સફેદ રંગના પડદા લગાવવાની સલાહ આપે છે. જો આવું કરો છો તો તમારી પરેશાની દૂર થશે.
 
પૂર્વ દિશાના રૂમમાં લીલા પડદા લગાવવા ઘરના વેપાર અને આવકના સોર્સમાં વૃદ્ધિ માટે શુભ હોય છે. 
 
પશ્ચિમ દિશામાં બેલા રૂમ માટે સફેદ પડદા લગાવવા ફાયદાકારક રહેશે, આવું કરવાથી ઘરના લોકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે.
 
ઉત્તર દિશાના રૂમમાં વાદળી પડદા લગાવવાથી ઘરના ધનમાં વધારો થાય છે.
 
દક્ષિણ દિશાના ખૂણામાં રૂમ હોય તો લાલ પડદા સારા રહે છે, તેનાથી ઘરમાં પ્રેમ અને પોતીકાપણું વધે છે.
 
રૂમમાં કલરની વાત કરીએ તો બેડરૂમમાં માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા બની રહે તેના માટે ગુલાબી, આસમાની અથવા લાઇટ ગ્રીન કલર કરાવવો જોઈએ. ડ્રોઇંગ રૂમ માટે ક્રીમ, સફેદ અથવા બ્રાઉન કલરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. કિચન માટે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે, તેનાથી ત્યાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે છે. બાથરૂમમાં સફેદ અથવા વાદળી રંગ સૌથી સારો રહે છે.

વધુ જુઓ..

વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા

10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ; IMD એ ચેતવણી જારી કરી

ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા

હિમાચલના કાંગડામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 3 લોકોના મોત, 27 ઘાયલ

મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ

વધુ જુઓ..

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

આગળનો લેખ
Show comments