Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિટામિન ડીની ઉણપ દૂર કરતા ઇન્જેક્શનથી રહો સાવધ, કિડનીમાં થઈ શકે છે પથરી

શુક્રવાર, 29 નવેમ્બર 2024 (00:15 IST)
વિટામિન ડીની ઉણપથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.  વિટામિન ડી એ તમારા શરીર અને તમારા પુરા સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ છે. જો તમારા શરીરમાં આ વિટામિનની ઉણપ છે તો તમારે તે દૂર કરવા માટે તમારા  ડાયેટ પ્લાનમાં વિટામિન ડી થી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.  પણ આ વિટામિનની ઉણપને દૂર કરવા માટેનું ઈન્જેક્શન લેવા એ તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે.
 
નોંધનીય બાબત
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વિટામિન ડીનું ઈન્જેક્શન તમારી કિડની અને હાડકાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એવું બની શકે કે આ વિટામિનની ઉણપને દૂર કરવાની ઉતાવળ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય. જો વિટામિન ડીની વધુ માત્રા તમારા શરીરમાં પહોંચે છે, તો કિડનીમાં પથરી થવાની શક્યતા વધી શકે છે.
 
સાવધ રહો 
 તમે તમારી કિડનીને નુકસાન થવાથી બચાવવા માંગતા હોય તો વિટામિન ડીનું ઈન્જેક્શન લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર વિટામિન ડી ઈન્જેક્શન તમારા હાડકાની મજબૂતાઈ પર પણ ખરાબ અસર કરી શકે છે. વિટામિન ડીની વધુ માત્રા લેવાને બદલે ડાયટ પ્લાનમાં ફેરફાર કરવો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 
ઉણપને કેવી રીતે દૂર કરવી?
 
વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમે ચરબીયુક્ત માછલી અને વિટામિન ડીથી સમૃદ્ધ ડેરી ઉત્પાદનોનું સેવન શરૂ કરી શકો છો. આ સિવાય ઈંડામાં વિટામિન ડી પણ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે ઈચ્છો તો બદામનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત દરરોજ તડકામાં બેસીને વિટામિન ડીની ઉણપને પણ ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. આ લેખ સામાન્ય માહિતી માટે છે, કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ..

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત: ટ્રક સાથે અથડાયા બાદ બસમાં લાગી આગ, 7 લોકોના મોત, 17 ઘાયલ

Doctor's Day 2026 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે

પાકિસ્તાનનાં લાહોરમાં દુ:ખદ અકસ્માત: ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી, 14 બાળકોના મોત, 20 થી વધુ ઘાયલ

હાર્દિક પંડ્યાનુ મોટુ પગલુ, મુંબઈ છોડી કાયમ માટે બેંગલુરૂ થયો શિફ્ટ, કારણ જાણીને ચોંકી જશો

આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ચોમાસુ પહોંચશે, જેના કારણે ભારે વરસાદ પડશે

વધુ જુઓ..

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments