Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ખાલી પેટ દોડવું Health માટે ફાયદાકારક કે નુકસાનકારક, જાણો શું કહે છે Experts ?

Updated: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (07:15 IST)
આજની બગડતી લાઈફસ્ટાઈલમાં  લોકો ખુદને સ્વસ્થ અને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરવાની એક પણ તક છોડતા નથી. લોકો સમય કાઢીને દોડવાનું અથવા ઝડપથી ચાલવાનું પસંદ કરે છે. દોડવાથી આપણા શરીરનું બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે ઘટે છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. દોડવાથી ફક્ત તમારું વજન જ ઓછું નથી થતું  પણ આપણી ઈમ્યુનીટી અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સવારે ખાલી પેટ દોડે છે, જ્યારે કેટલાક લોકો  થોડું ઘણું કંઈક ખાધા પછી દોડવું પસંદ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે દોડવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી છે, તો ચાલો આજે જાણીએ કે સવારે ખાલી પેટ દોડવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે કે હાનિકારક?
 
ખાલી પેટ દોડવાના ફાયદા  
 
- વજન ઘટશે -  જો તમારા શરીરને વધેલા વજને જકડી રાખ્યું છે તો  સવારે કંઈપણ ખાધા-પીધા વગર દોડવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 
- દિલ રહે છે સ્વસ્થ  જો તમે હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવા માંગતા હોય તો દરરોજ 10 થી 15 મિનિટ દોડો. દોડવાથી આપણું હૃદય વધુ સક્રિય બને છે અને બ્લડ સર્કુલેશન  સુધરે છે.
 
- પાચન સુધરે છે: ખાલી પેટ દોડવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આનાથી તમારી પાચન સબધી સમસ્યા જેવી આંતરડામાં ખેંચાણ, ઉબકા, ઉલટી અને ઝાડા  નો કરવો પડતો નથી.
 
- આવે છે સારી ઊંઘઃ જે લોકો સવારે દોડે છે તેમને સારી ઊંઘ આવે છે. જો તમે પણ રાત્રે પથારીમાં પડખા ફેરવો છો તો આજથી જ આ આદત અપનાવો.
 
ખાલી પેટ દોડવાના નુકશાન - 
 
 જલ્દી લાગશે થાક -  ખાલી પેટ દોડવાથી તમે થાકી શકો છો. ઉલ્લેખનીય છે કે જ્યારે તમે ખાલી પેટ પર દોડો છો તો આવામાં તમારું શરીર ફેટને એનર્જીમાં બદલે છે. પણ શરીર આવું લાંબો સમય સુધી નથી કરી શકતું અને આવી સ્થિતિમાં તમે થાક અનુભવો છો. 
 
વાગવાનો ભય - જેવી તમારા શરીરની એનર્જી ઓછી થાય છે તો તમે થાક અનુભવો છો. જેનાથી તમને વાગવાની શકયતા વધી જાય છે 

વધુ જુઓ..

iPhone 18ના લોન્ચ પહેલાં iPhone 17 Pro Max પર ધમાકેદાર ડીલ, Flipkart પર આટલો સસ્તો મળી રહ્યો ફોન

મમતા બેનર્જીના કાફલા પર પથ્થર, જૂતા અને કાદવ ફેંકાયા, કહ્યું- ‘લાગી જાત તો માથું ફાટી જાત’

પુડુચેરીમાં ગૃહમંત્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા યાત્રા’માં લીધો ભાગ

Jammu Kashmir Cloudburst- વાદળ ફાટવાથી કોઈ રાહત મળી નથી, જમ્મુ અને કાશ્મીરમાં 40 થી વધુ ઘટનાઓમાં 40 લોકોના મોત

આજે 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હી-NCRમાં હવામાન કેવું રહેશે?

વધુ જુઓ..

Kamika Ekadashi Vrat Katha - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 ઓગસ્ટ, 2026

Happy Shravan 2026 Wishes In Gujarati: સ્નેહીજનોને મોકલી આપો શ્રાવણ મહિનાના આ શુભ સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments