Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો, નહીં તો તમને વારેઘડીએ ટોયલેટ તરફ દોડવું પડશે

Updated: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (00:36 IST)
હાઇલાઇટ્સ
- રાત્રે સૂતા પહેલા વધુ પડતા પાણી અથવા પ્રવાહીનું સેવન કરવાથી વારંવાર પેશાબ થઈ શકે છે.
- જો લાંબા સમય સુધી રાત્રે વારંવાર પેશાબની સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
 
Causes of Frequent. At Night: ઘણી વખત તમે આખી રાત શાંતિથી સૂઈ જાઓ છો અને પેશાબને કારણે તમારી ઊંઘમાં ખલેલ પડતો નથી. જ્યારે ઘણી વખત એવું બને છે કે પેશાબ કરવા માટે પ્રેશરને  કારણે તમારે રાત્રે વારંવાર ઉઠવું પડે છે. રાત્રે વારંવાર પેશાબ થવાના ઘણા ચિહ્નો હોઈ શકે છે. કેટલાક લોકોમાં, તે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મૂત્રાશયની સમસ્યાઓ સહિત ઘણી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. જોકે ઘણી વખત
તેના કારણો એકદમ સામાન્ય છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. રાત્રે વારંવાર પેશાબ કરવાની સ્થિતિને નોક્ટુરિયા(Nocturia)  કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. જોકે આનાથી ઓછી વયના લોકોને પણ પરેશાની થઈ શકે છે. 
 
એક રિપોર્ટ અનુસાર, રાત્રે વારંવાર જાગીને પેશાબ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પ્રથમ મુખ્ય કારણ રાત્રે સૂતા પહેલા વધુ પડતું પાણી અથવા પ્રવાહી પીવું હોઈ શકે છે. જો તમે સાંજથી રાત સુધી પુષ્કળ પાણી પીતા હોવ તો તેની અસર રાત્રે જોવા મળે છે અને તમારે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડી શકે છે. બીજું કારણ સ્લીપ ડિસઓર્ડર હોઈ શકે છે. જો તમને રાત્રે ઉઘ નથી આવતી કે પછી વારેઘડીએ ઊંઘ ખૂલી જાય છે તો   તેના કારણે વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે, તો બેદરકાર ન રહો અને ડૉક્ટરની સલાહ લો.
 
રાત્રે વારંવાર ટોયલેટ જવાનું ત્રીજું મુખ્ય કારણ કેટલીક દવાઓ અથવા યુરીનની સમસ્યા હોઈ શકે છે. આવી ઘણી દવાઓ છે, જેને લેવાથી પેશાબનું ઉત્પાદન વધી જાય છે અને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જો યુરીનમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો વારંવાર પેશાબ પણ જોવા મળે છે. આ સિવાય ઘણી વખત લોકોને રાત્રે વારંવાર જાગવાની અને ટોયલેટ જવાની આદત હોય છે. આ કારણે પણ વારંવાર પેશાબ કરવા જવું પડે છે

Edited by - kalyani deshmukh 

વધુ જુઓ..

Samsung Layoff: સેમસંગે તેના કર્મચારીઓને મોટો ફટકો આપ્યો છે! સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ આ કડક નિર્ણય કેમ લીધો તે જાણો.

મોરબીમાં SOGનો મોટો સપાટો: નવલખી રોડ પરથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકાન માલિક ઝબ્બે

સોનમ વાંગચુકે હોસ્પિટલને લખ્યું- ‘મને રજા આપો, સંસદ કૂચમાં જવુ છે’; 28 જુલાઈથી ભૂખ હડતાળનો એલાન

અમદાવાદ-સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દેખાવકારોની અટકાયત

LIVE: CJP ના સંસદ માર્ચમાં RPF નો લાઠીચાર્જ, સેંટ્રલ દિલ્હીના કેટલાક સ્થાન પર ઈંટરનેટ બંધ, દિલ્હી મેટ્રોના 5 સ્ટેશન બંધ

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments