Biodata Maker

Letter Writing- પત્રલેખન કેવી રીતે કરશો

શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (12:42 IST)
ટપાલ લખવાની રીત. પત્ર/ટપાલ લેખન-પરિચય.
પત્ર લેખન 
પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો. 
પત્રલેખન કેવી રીતે કરશો 
* પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે 
1. પત્ર લખનારનું સરનામું અને તારીખ
2. સંબોધન 
3. પત્રનો હેતુ અને મુખ્ય વિગત અને 
4. વિદાયવચનો, પૂર્ણાહુતિ અને સહી 
 
* ઉપરોક્ત ચાર ઘટકોમાં પ્રથમ, પત્રની જમણી બાજુ મથાળે પત્ર લખના રે પોતાનું સરનામું તથા તારીખ લખવા, ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચની લીટીમાં ડાબી બાજુ હાંસિયા પાસે, જેને પત્ર લખવાનો હોય તેથી સાથેના સંબંધ મુજબ સંબોધન કરવું. 
* યાદ રહે- વ્યવસાયિક કે ધંધાદારી પત્રો અને અરજીઓમાં, જેને ઉદ્દેશીને પત્ર લખવાનો હોય તેનું પૂરૂં સરનામું, સંબોધનનની ઉપર લખવાનું છે. 
યાદ રહે- પત્રની જમણી બાજુએ તમે લખેલી તારીખની નીચેની લીટીમાં સંબિધને લખવું જરૂરી છે. 
 
* સંબોધન પછી પત્રની વિગત, મુદ્દાઓ પ્રમાણે યોગ્ય ફકરાઓ પાડીને લખવાની રહે છે અને પત્રની વિગત પૂરી થાય પછી એ પછીની લીટીમાં, જમણી બાજુએ, પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચારસૂચક યોગ્ય વિદાયવચન લખીને નીચે સહી કરવાની રહે છે. 
 
* યાદ રહે- પરીક્ષામાં પત્રલેખનના પ્રાશ્નોત્તરમાં પત્ર લખનારાના કલ્પિર નામ સરનામા લખવા, તમારા પોતાના સાચાં નામ સરનામા લખવા નહિ, સામાન્ય રીતે પશ્નપત્રમાં પત્રલેખનનું નામ તથ સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ સરનામું પ્રેષકના સ્થાને લખવું જોઈએ; પોતાનું નામ કે સરનામું નહિ. 
 
* પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો અને પત્રમાં વધુ પડતી આલંકારિક ભાષાનો પ્રયોગ કરવો નહિ. જોડણીશુદ્ધિ જાળવવી અને જરૂરી હોય ત્યાં વિરામચિહ્નનોનો ઉપયોગ કરવો જોઈએ. 
 
* પત્રની મુખ્ય વિગત ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ. 

વધુ જુઓ..

Praful Hinge: 13 વર્ષની ઉંમરે ક્રિકેટ, લેધર બોલ જોયો પણ નહોતો, પણ લખી રાખ્યું હતું કે હું 4-5 વિકેટ લઈશ

લગ્નની રાત્રે, ક્રૂર વરરાજાએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા, પછી તેમને દારૂ પીવા માટે દબાણ કર્યું, અને જ્યારે તે બેહોશ થઈ ગઈ, ત્યારે...

હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં 15 એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે.

Amarnath Yatra 2026: બાબા બર્ફાની દર્શન માટે નોંધણી ક્યારે શરૂ થશે? સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી નિયમો જાણો.

અમદાવાદ ડોસા ડેથ કેસમાં ખોફનાક ખુલાસો, પુત્ર પ્રાપ્તિના મોહમાં કપલે પુત્રીઓને આપ્યુ ઝેર, ડાયરીએ ખોલ્યુ રહસ્ય

વધુ જુઓ..

અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

Varuthini Ekadashi 2026: વરુથિની એકાદશી પર જરૂર કરો આ ઉપાયો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments