Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારના દિવસે આ 4 વસ્તુઓનું દર્શન કરવું અત્યંત શુભ છે, શનિદેવની વરસે છે અઢળક કૃપા

Updated: શનિવાર, 6 જાન્યુઆરી 2024 (11:01 IST)
Seeing these 4 things on Saturday is very auspicious
ન્યાયના દેવતા ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા લોકો વિવિધ ઉપાયો અને પૂજા કરે છે. એવું કહેવાય છે કે જો શનિદેવની કૃપા કોઈ પર પડે છે તો તે વ્યક્તિને સફળ અને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. બીજી તરફ જો શનિ મહારાજની કોઈ પર ખરાબ નજર હોય તો સમજી લેવું કે તે વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરતી રહેશે. શનિદેવ જેને ધર્મરાજ કહેવામાં આવે છે તે દરેક વ્યક્તિના સારા-ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાના કાર્યો સારા રાખવા જોઈએ, તો જ તેના પર શનિદેવની કૃપા વરસી શકે છે.
 
 
અઠવાડિયાનો દરેક દિવસ વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત છે. શનિવારે ભગવાન શનિદેવની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં, જો તમે શનિવારે આ 4 વસ્તુઓ જોઈ હોય, તો સમજી લો કે શનિદેવની કૃપા તમારા પર જલ્દી વરસવા જઈ રહી છે. શનિવારે આ વસ્તુઓને જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
1. કાગડો શનિદેવના અનેક વાહનોમાંથી એક છે. આવી સ્થિતિમાં જો તમને શનિવારે કાળો કાગડો દેખાય તો સમજવું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. કાગડો દેખાવવાનો અર્થ એ છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે અને તમને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે.
 
2. જો તમે શનિવારે કોઈ ભિખારીને જોયો હોય અથવા કોઈ ભિખારીએ તમારી પાસેથી કંઈક માંગ્યું હોય, તો તેને કઈક જરૂર આપો. આમ કરવાથી ભગવાન શનિદેવ તમારા પર પ્રસન્ન થઈ શકે છે અને તમારી બધી મનોકામનાઓ પૂરી કરી શકે છે.
 
3. શનિવારે કાળો કૂતરો દેખાવવો એ શુભ સંકેત છે. જો તમે પણ કાળો કૂતરો જોયો હોય તો તેને તેલવાળી રોટલી ચોક્કસ ખવડાવો. તેનાથી ન માત્ર કેતુ દોષમાંથી મુક્તિ મળે છે પરંતુ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
 
4. શનિવારે કાળી ગાય દેખાવવાનો અર્થ છે કે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે. શનિવારે કાળી ગાયનું દર્શન શુભ સંકેત છે.

વધુ જુઓ..

Essay on Friendship Day- મિત્રતા દિવસ પર નિબંધ

ગૌરી વ્રત માટે છોકરીઓની ખાસ બ્યુટી ટિપ્સ, આ રીતે મેળવો નેચરલ ગ્લો

Jaya Parvati Vrat recipe- કેરીનો રસ અને મોળી પૂરી

કિશમિશનું તીખું શાક બનાવવાની સરળ રેસીપી

Jaya Parvati Vrat Thali Recipe- ગૌરી વ્રત ની વાનગીઓ/ મોળાકત ની વાનગીઓ

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments