Webdunia - Bharat's app for daily news and videos

Install App

Parivartini Ekadashi 2025: 2 કે 3 સપ્ટેમ્બર ક્યારે છે પરિવર્તિની એકાદશી, જાણો પૂજા વિધિ અને વ્રતનો પારણ સમય

સોમવાર, 1 સપ્ટેમ્બર 2025 (16:43 IST)
parivartini ekadashi

Parivartini Ekadashi 2025: ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અગિયારમી તિથિએ પરિવર્તિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પક્ષ પરિવર્તન કરે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે.
 
પરિવર્તિની એકાદશી 2025 તિથિ અને શુભ મુહૂર્ત 
 
દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પરિવર્તિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ ૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૪:૫૩ વાગ્યે શરૂ થઈ રહી છે. તે ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૪:૨૧ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, પરિવર્તિની એકાદશીનું વ્રત ૩ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે ૭:૩૫ થી ૯:૧૦ વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમે શ્રી હરિની પૂજા કરી શકો છો.
 
વ્રત પારણ 
પંચાંગ મુજબ, પરિવર્તિની એકાદશીનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ, તમે બપોરે 1:46 થી 4:07 વાગ્યા સુધી ઉપવાસ તોડી શકો છો.
 
પૂજા વિધિ
 
- પૂજા માટે, પહેલા સ્વચ્છ પાટલા પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો.
-  ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો.
- હવે પીળા ફૂલો, પીળા ફળો અને ચંદન લગાવો. આ પછી, વિષ્ણુજીને તુલસીદળ અને મીઠાઈ અર્પણ કરો.
- ભગવાનને પંચામૃત, શીરો અથવા ધાણા પંજરી અર્પણ કરી શકો કર. તેમાં તુલસીના પાન શામેલ કરવાનું ભૂલશો નહીં.
- હવે શુદ્ધ ઘી અને ધૂપનો દીવો પ્રગટાવો.
- પરિવર્તિની એકાદશીનું વ્રત કથાનું પાઠ કરો.
- ભગવાન વિષ્ણુની ચાલીસા વાંચો અને અંતે, સુખ અને સમૃદ્ધિની કામના કરીને પરિવાર સાથે આરતી કરો.
- બીજા દિવસે ઉપવાસ તોડ્યા પછી, ગરીબોને ભોજન દાન કરો.

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

વધુ જુઓ..

રવિવાર અને જ્યેષ્ઠ નક્ષત્રના યુતિમાં કરો આ સરળ ઉપાયો, તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 જૂન 2026

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

આગળનો લેખ
Show comments