Webdunia - Bharat's app for daily news and videos

Install App

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

મંગળવાર, 25 માર્ચ 2025 (07:16 IST)
Papmochani Ekadashi 2025: ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને તેને પુણ્ય ફળ મળે છે. આ વર્ષે પાપમોચની એકાદશીનું વ્રત 25 માર્ચે કરવામાં આવશે. તો હવે અહીં જાણો કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે કયુ શુભ મુહુર્ત શ્રેષ્ઠ રહેશે.
 
પાપામોચની એકાદશી 2025 પૂજાનું શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 વાગ્યે શરૂ થશે. એકાદશી તિથિ 26 માર્ચે સવારે 3:45 વાગ્યે સમાપ્ત થશે. 26 માર્ચે પાપમોચની એકાદશીનો વ્રત તોડવામાં આવશે.  વૈષ્ણવ સમુદાયના લોકો 26 માર્ચે પાપમોચની એકાદશીનો વ્રત કરશે અને 27 માર્ચે ઉપવાસ તોડશે.
 
એકાદશીના ઉપવાસના દિવસે શું ન કરવું
 
એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરો.
જો તમે એકાદશીનો ઉપવાસ કર્યો  હોય તો આ દિવસે મીઠું ન ખાશો.
એકાદશીના દિવસે માંસાહારી ખોરાક ન ખાશો.
એકાદશી પર ડુંગળી અને લસણ ખાવાની પણ મનાઈ છે.
 
એકાદશીના દિવસે શું કરવું જોઈએ?
 
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.
એકાદશીના દિવસે ફક્ત સાત્વિક ભોજન જ કરો.
એકાદશીના દિવસે વિષ્ણુના મંત્રોનો જાપ કરવો લાભકારી છે.
એકાદશીના વ્રત દરમિયાન, તમે દૂધ, દહીં, ફળ, શરબત, સાબુદાણા,
 બદામ, નારિયેળ, શક્કરિયા, બટાકાનું સેવન કરી શકો છો.
 

વધુ જુઓ..

અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા

સ્ત્રીના શરીરના આ 8 સંવેદનશીલ ભાગો રોમેન્ટિક આત્મીયતા વધારી શકે છે

મસૂર પુલાવ રેસીપી

સેવૈયા ઉપમા રેસીપી

14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં કયા ફેરફાર જોવા મળી શકે છે ? ડોકટરે ગણાવ્યા અગણિત ફાયદા

વધુ જુઓ..

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

આગળનો લેખ
Show comments