Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

મંગળવાર, 2 જુલાઈ 2024 (11:03 IST)
Jagannath Rath Yatra 2024- ભગવાન જગન્નાથ જ ભગવાન વિષ્ણુના પૂર્ણ કળા અવતાર શ્રીકૃષ્નનુ જ એક સ્વરૂપ છે. તેનો એક વિશાળ મંદિર ઓડિશા રાજ્યના પુરીમાં સ્થિત છે. આ શહેરનુ નામ જ જગન્નાથ પુરીથી નિકળીને પુરી બન્યો છે. પુરાણોના મુજબ ભગવાન કૃષ્ણએ તેમની મૃત્યુ પછી તેમની આત્માને જગન્નાથ મૂર્તિમાં સ્થાપિત કર્યુ હતુ. આ આ મંદિર હિન્દુઓના ચાર ધામોમાંનું એક છે અને દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. જગન્નાથ મંદિર તેની ભવ્યતા, રથયાત્રા ઉત્સવ અને અનન્ય પરંપરાઓ માટે જાણીતું છે.
 
ભગવાન જગન્નાથની મૂર્તિ લાકડાર્હી બનેલી છે અને તેને ‘નીલમાધવ’ પણ કહે છે. ભગવાન જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે, જે "નવકલશ" તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથને મહાપ્રસાદ ચઢાવવાની માન્યતા છે. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીના વિમલા દેવી સ્વરૂપને ચઢાવવામાં આવે છે. આખરે આની પાછળની માન્યતા શું છે?
 
ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ 
ભગવાન જગ્ન્નાથ મંદિર પુરીના પ્રસાદને મહાપ્રસાદ કહેવાય છે. આ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને પ્રસાદ ચઢાવ્યા પછી તેનું વિતરણ કરવામાં આવે છે. મહાપ્રસાદ અત્યંત પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાપ્રસાદનું સેવન કરવાથી ભગવાન જગન્નાથની કૃપા પ્રાપ્ત થાય છે. મહાપ્રસાદને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક માનવામાં આવે છે. કહેવાય છે કે મહાપ્રસાદનું સેવન કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને મન શાંત થાય છે.
 
ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને ખવડાવવાની માન્યતા છે.
ભગવાન જગન્નાથનો ભોગ સૌથી પહેલા વિમલા દેવીને ખવડાવવાના પાછળ ઘણા ધાર્મિક અને પૌરાણિક કારણ છે. વિમલા દેવી જેને જગન્નાથની બેન પણ ગણાય છે નુ મંદિર જગન્નાથ મંદિઅર પરિસરમાં આવેલ છે. પૌરાણિક કથાઓ મુજબ વિમલાદેવી ભગવાન જગન્નાથના પરમ ભક્ત છે અને હંમેશા તેમની સેવામાં રહે છે. ભગવાન જગન્નાથ પ્રત્યે વિમલાદેવીના પ્રેમ અને ભક્તિના માનમાં, તેમને ભોજન અર્પણ કરવાની પરંપરા સ્થાપિત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથની પૂજાની સાથે વિમલા દેવીની પૂજા પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
વિમલા દેવીને મોક્ષ અને આધ્યાતમિક જ્ઞાનની દેવા ગણાય છે પૌરાણિક કથાના મુજબ એવુ કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીને વચન આપ્યુ હતુ. જેના કારણે મહાપ્રસાદને સૌથી પહેલા માતા પાર્વતીને અર્પિત કરાય છે. 


Edited By- Monica sahu 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments