IND vs PAK: આટલા નાટક પછી પાકિસ્તાનના મંત્રી ઘૂંટણિયે, UAE ક્રિકેટ બોર્ડને સોંપી એશિયા કપ ટ્રોફી
એશિયા કપ ટ્રોફી "ચોર" પાકિસ્તાની મંત્રી મોહસીન નકવીને બીસીસીઆઈ(BCCI) છોડવાના મૂડમાં નથી. આ દરમિયાન, બીજી એક મોટી અપડેટ સામે આવી છે: ACC પ્રમુખ મોહસીન નકવીએ (Mohsin Naqvi Handed Asia Cup Trophy to UAE Cricket Board) એશિયા કપ ટ્રોફી UAE ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. જોકે, ટીમ ઈન્ડિયાને ટ્રોફી ક્યારે સોંપવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.
આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય બોર્ડ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા મોહસીન નકવી સામે મહાભિયોગની કાર્યવાહી પર વિચાર કરી રહ્યું છે. એ નોંધનીય છે કે એશિયા કપમાં ભારતની જીત બાદ નકવી વિજેતા ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા.
એશિયા કપની ટ્રોફી લઈને મચી છે બબાલ
તાજેતરમાં પૂર્ણ થયેલી એશિયા કપ 2025 ટ્રોફીને લઈને વિવાદ ચાલુ છે. પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ટાઇટલ જીત્યા બાદ, ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેના થોડા સમય પછી, નકવી ટ્રોફી અને મેડલ લઈને પોતાની હોટેલ જવા રવાના થઈ ગયા.
બોર્ડ ટ્રોફી પાછી લાવવા માટે કરી રહ્યું છે તમામ કોશિશ
નકવીના બેજવાબદાર વર્તનથી સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ગયુ છે. જોકે, બીસીસીઆઈ તેમને પાઠ ભણાવવા માટે કટિબદ્ધ છે. ટ્રોફી વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા, બીસીસીઆઈએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યુ કે અમને ટ્રોફી સોપી દેવી જોઈએ. નહી તો જરૂર પડતા અમે તેને સીધી એસીસી ઓફિસમાંથી લઈ જઈશુ.
નકવી એસીસી અને પીસીબીના અધ્યક્ષ પણ
આટલું જ નહીં, નકવી એસીસી અને પીસીબીના અધ્યક્ષ પણ છે. તેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. ફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પીસીબીના અધ્યક્ષ પદેથી તેમનું રાજીનામું માંગ્યું છે. જોકે, બેશરમ નકવીએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.